શ્રેષ્ઠ વિશ્વ
માટે શ્રેષ્ઠ શિક્ષણ
Welcome To My School
Why Choose Gajera Vidhyabhavan
૧૯૯૯-૨૦૦૦ માં ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ શાળામાં આજે જુ.કે.જી થી ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહ સુધીનું ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતી માધ્યમ બાળભવન, પૂર્વ પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ વિભાગોમાં ૬૬૪૨ કુલ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. “NO DEPOSIT – NO DONATION” ના સિધ્ધાંત પર મધ્યમવર્ગીય પરિવારના બાળકોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવે છે. આ સંસ્થાનો મુખ્ય આશય માત્ર પુસ્તકિયું જ્ઞાન પીરસવાનું નહીં પણ બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી તેને જીવનના દરેક પાસામાં ઉપયોગી કૌશલ્યોથી સજ્જ કરવાનો છે. છેલ્લા સત્તર વર્ષથી સંસ્થાના બાળકો શૈક્ષણિક, ઇતરપ્રવૃત્તિ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં સતત ટોચના સ્થાન પ્રાપ્ત કરતા રહ્યા છે.
What's Happening in School
Christmas Celebration
Debate Competition
Geeta Shlok Pathan
Farmer's Day
Mathemetics Day
26 January
Follow on Social Media
Admission Enquiry
૨૫ વર્ષોથી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ ૧૮ શાળાઓ અને ૩ કોલેજોમાં અભ્યાસ કરતા ૫૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રમાં નવીનીકરણ લાવી રહ્યું છે.
શૈક્ષણિક, રમત-ગમત અને કલા આમ દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતાઓને વિકસાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. દરેક બાળક પોતાનું કૌશલ્ય નિખારે અને પોતાની આવડત અનુસાર ઉત્તમ જીવનનું ઘડતર કરે એ હેતુથી શિક્ષકો જીવનલક્ષી કેળવણી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સાથે સાથે ગજેરા ટ્રસ્ટ વાલી-શિક્ષકની ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે જેથી બાળક માત્ર એક આદર્શ વિદ્યાર્થી જ તરીકે નહિ પણ એક આદર્શ વૈશ્વિક નાગરિક તરીકે પ્રગતિમાં સહભાગી બની શકે.