• ગજેરા વિદ્યાભવનનાં દરેક વિભાગોમાં ખાલી જગ્યાને આધારે કોઈપણ પ્રકારના નાત-જાતના કે અન્ય ભેદભાવ વગર સમાજના તમામ ક્ષેત્રનાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ધોરણ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા નીચે પ્રમાણે હાથ ધરાય છે.

Pre-primary

સુજ્ઞ વાલીશ્રી,

ગજેરા વિદ્યાભવન, પૂર્વ- પ્રાથમિક વિભાગમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ગુજરાત બોર્ડ ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને CBSEના પ્રવેશ શરૂ થઈ ગયા છે તો પ્રવેશ મેળવવાં ઈચ્છતા હોય તેઓએ ગજેરા ફાર્મ સ્કુલમાં આવી મળી જવું.

પ્રવેશ માટે ની વયમર્યાદા:

 1. જુ.કેજી. માટે બાળકની જન્મતારીખ ૦૨-૦૬-૨૦૨ થી ૦૧-૦૬-૨૦૨3 સમયગાળામાં હોવી જોઈએ.

2. સિ.કેજી. માટે બાળકની જન્મતારીખ ૦૨-૦૬-૨૧ થી ૦૧-૦૬-૨૦૨૨ સમયગાળામાં હોવી જોઈએ.

3. બાલવાટિકા માટે બાળકની જન્મતારીખ ૦૨-૦૬-૨૦૨૦ થી ૦૧-૦૬-૨૦૨૧ સમયગાળામાં હોવી જોઈએ.

પૂર્વ-પ્રાથમિકમાં પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ

૧. ઓરિજિનલ જન્મ તારીખનો દાખલો અને તેની ર ઝેરોક્ષ.

૨. બાળકના બે પાસપોર્ટ સાઈઝના ફોટા.

 ૩. માતા-પિતાના + પાસપોર્ટ સાઈઝના ફોટા.

૪. બાળક તેમજ માતાપિતા એમ ત્રણેયના આધારકાર્ડ, પિતાની LC, પાસપોર્ટ નંબર, બ્લડગૃપ અને એડ્રેસ પૂફ (બધા ડોક્યુમેન્ટની ઓરીજીનલ તેમજ ઝેરોક્ષ સાથે લાવવું).

  • સરકારે જાહેર કરેલા નીતિ-નિયમ પ્રમાણે ૧ જૂનના રોજ જે બાળકની ઉંમરના ૬ વર્ષ પૂર્ણ થશે તેવા બાળકો ધોરણ ૧ માં પ્રવેશને પાત્ર રહેશે.બાલવાટિકા

Primary

ધોરણ – ૧ માં પ્રવેશ:

  • અમારી શાળામાં  બાલવાટિકા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ-૧ માં પ્રવેશ મેળવવા માટે બાલવાટિકા નું વાર્ષિક પરિણામ આવ્યા બાદ ત્રણ દિવસ માં પ્રવેશ ફોર્મ અને વાર્ષિક ફી ભરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
  • અમારા બાલવાટિકા ના બાળકોને ધોરણ-૧ માં પ્રવેશ આપ્યા બાદ જો વર્ગખંડ માં જગ્યા બાકી રહે તો બીજી શાળાના બાળકોને એપ્રિલ મહિનામાં પ્રવેશ આપવામાં આવે છે.
  • બાલ ભવન વિભાગ માં અમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સગા ભાઈ-બહેન ને પહેલા પ્રવેશ આપવામાં આવે છે.
  • ધોરણ -૧ માં પ્રવેશ લેવા માટે બાળકોના જન્મતારીખનું ઓરીજીનલ પ્રમાણપત્ર તેમજ તેની એક ઝેરોક્ષ કોપી અને બાળકોના ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા, માતા-પિતાનો ૧-૧ ફોટો કોપી સાથે લાવવાની રહેશે.

ધોરણ ૨ થી ૮ માં પ્રવેશ

  • અમારી એક શાખામાંથી બીજી શાખામાં બદલી કરાવવા માંગતા વિદ્યાર્થીઓને સૌ પ્રથમ પ્રવેશ આપવામાં આવે છે.
  • જો વર્ગખંડ માં જગ્યા બાકી હોય તો પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ની લેખિત પરીક્ષા લેવામાં આવે છે અને મેરીટ ના આધારે વાર્ષિક પરિણામ આવ્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે.
  • મેનેજમેન્ટ જે રીતે નક્કી કરે તે પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે.
  • ધોરણ ૨ થી ૮ માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ વાર્ષિક પરિણામની ઝેરોક્ષ કોપી, શાળા છોડ્યાનું સર્ટીફીકેટ, વાર્ષિક ફી, વિદ્યાર્થીઓના પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા, માતા-પિતાના ૧-૧ ફોટો કોપી સાથે લાવવાની રહેશે.

Secondary & Higher Secondary

ધોરણ ૯ માટે

  • ધોરણ ૯ માં સૌ પ્રથમ સંલગ્ન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તેમ કરતા જો જગ્યા બાકી રહે તો અન્ય શાળાના વિદ્યાર્થીઓને આગળના વર્ષની વાર્ષિક પરીક્ષા અને શાળા દ્વારા આયોજિત પ્રવેશ પરીક્ષાના ગુણાંકનને ધ્યાનમાં લઈ મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયા ધોરણ ૮ ના પરિણામ જાહેર થયા બાદ બીજા દિવસ થી શરૂ થાય છે.

ધોરણ ૧૧ માટે

  • ધોરણ ૧૧ (વિજ્ઞાનપ્રવાહ તથા વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ પ્રક્રિયા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા આપવામાં આવતા આદેશ પ્રમાણે હાથ ધરવામાં આવે છે. ધોરણ ૧૦ની બોર્ડની જાહેર પરીક્ષાના પરિણામના બીજા દિવસથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે.

ધોરણ ૧૦ અને ૧૨ માટે

  • ધોરણ ૯ માંથી ૧૦ અને ૧૧ માંથી ૧૨માં આવતા વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે મોટે ભાગે ધોરણ ૧૦ અને ૧૨માં પ્રવેશ આપવાની શક્યતા રહેતી નથી છતાં જો જગ્યા રહે તો આગળના વર્ષના પરિણામ અને પ્રવેશ પરીક્ષાના દેખાવના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

Right of Admission is reserved by Management

📌 સામાન્ય પ્રવેશ માહિતી

ગજેરા વિદ્યાભવનના દરેક વિભાગોમાં ખાલી જગ્યાના આધારે કોઈપણ પ્રકારના નાત-જાત, ધર્મ કે અન્ય ભેદભાવ વગર સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

પ્રવેશ અંગે નોંધ

દરેક ધોરણમાં પ્રવેશ ઉપલબ્ધ બેઠકો, મેનેજમેન્ટના નિયમો અને પ્રવેશ પ્રક્રિયા મુજબ આપવામાં આવે છે.

👶 પૂર્વ-પ્રાથમિક વિભાગ

શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટે ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ તથા CBSE ના પૂર્વ-પ્રાથમિક વિભાગમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક વાલીઓએ ગજેરા ફાર્મ સ્કૂલ ખાતે સંપર્ક કરવો.

🎂 પ્રવેશ માટે વયમર્યાદા

🧸 જુનિયર KG

જન્મ તારીખ
૦૨-૦૬-૨૦૨૨ થી
૦૧-૦૬-૨૦૨૩

🎈 સિનિયર KG

જન્મ તારીખ
૦૨-૦૬-૨૦૨૧ થી
૦૧-૦૬-૨૦૨૨

🎓 બાલવાટિકા

જન્મ તારીખ
૦૨-૦૬-૨૦૨૦ થી
૦૧-૦૬-૨૦૨૧

સરકારી નિયમ મુજબ

૧ જૂનના રોજ ૬ વર્ષ પૂર્ણ કરનાર બાળકો ધોરણ-૧માં પ્રવેશ માટે પાત્ર ગણાશે.

📄 પૂર્વ-પ્રાથમિક માટે જરૂરી દસ્તાવેજો

પ્રવેશ સમયે નીચે દર્શાવેલા તમામ ઓરિજિનલ દસ્તાવેજો તથા તેમની ઝેરોક્ષ સાથે લાવવા વિનંતી.

📜 જન્મનો દાખલો

બાળકનો ઓરિજિનલ જન્મ તારીખનો દાખલો તથા તેની એક ઝેરોક્ષ.

📷 ફોટોગ્રાફ

બાળકના ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા તથા માતા અને પિતાના ૧-૧ પાસપોર્ટ સાઇઝના ફોટા.

🪪 ઓળખના પુરાવા

બાળક તથા માતા-પિતાના આધારકાર્ડ, પિતાની LC, બ્લડ ગ્રુપ, પાસપોર્ટ નંબર (જો હોય તો) અને એડ્રેસ પ્રૂફ.

પ્રવેશ માટે જરૂરી ચેકલિસ્ટ
  • ઓરિજિનલ જન્મનો દાખલો
  • જન્મ દાખલાની ઝેરોક્ષ
  • બાળકના ૨ પાસપોર્ટ સાઇઝ ફોટા
  • માતા અને પિતાના ૧-૧ ફોટા
  • બાળક તથા માતા-પિતાના આધારકાર્ડ
  • પિતાની LC
  • પાસપોર્ટ નંબર (જો હોય તો)
  • બ્લડ ગ્રુપની વિગતો
  • એડ્રેસ પ્રૂફ

🏫 પ્રાથમિક વિભાગ

ધોરણ – ૧ માં પ્રવેશ

અમારી શાળામાં બાલવાટિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક પરિણામ જાહેર થયાના ૩ દિવસની અંદર પ્રવેશ ફોર્મ તથા વાર્ષિક ફી ભરી ધોરણ-૧માં પ્રવેશ મેળવવાનો રહેશે.

અમારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ જો બેઠકો ખાલી રહે તો અન્ય શાળાના વિદ્યાર્થીઓને એપ્રિલ મહિનામાં પ્રવેશ આપવામાં આવે છે. અમારા વિદ્યાર્થીઓના સગા ભાઈ-બહેનને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે.

📜 જરૂરી દસ્તાવેજો

જન્મ તારીખનું ઓરિજિનલ પ્રમાણપત્ર તથા ઝેરોક્ષ.

📷 ફોટોગ્રાફ

વિદ્યાર્થીના ૨ તથા માતા-પિતાના ૧-૧ પાસપોર્ટ સાઇઝ ફોટા.

💳 વાર્ષિક ફી

નિર્ધારિત વાર્ષિક ફી સાથે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે.


ધોરણ ૨ થી ૮ માં પ્રવેશ

સૌપ્રથમ અમારી એક શાખામાંથી બીજી શાખામાં બદલી કરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ ખાલી બેઠકો હોય તો લેખિત પરીક્ષા તથા મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો
  • વાર્ષિક પરિણામની ઝેરોક્ષ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
  • નિર્ધારિત વાર્ષિક ફી
  • વિદ્યાર્થીના ૨ પાસપોર્ટ સાઇઝ ફોટા
  • માતા અને પિતાના ૧-૧ પાસપોર્ટ સાઇઝ ફોટા

🎓 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ

ધોરણ – ૯ માં પ્રવેશ

સૌપ્રથમ અમારી સંલગ્ન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૮ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ જો બેઠકો ખાલી રહે તો અન્ય શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક પરિણામ અને પ્રવેશ પરીક્ષાના મેરીટ આધારે પ્રવેશ આપવામાં આવે છે.

પ્રવેશ પ્રક્રિયા

ધોરણ-૮નું પરિણામ જાહેર થયાના બીજા દિવસથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.

ધોરણ – ૧૧ (વિજ્ઞાન તથા વાણિજ્ય પ્રવાહ)

ધોરણ-૧૧ (વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ)માં પ્રવેશ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના નિયમો મુજબ આપવામાં આવે છે. ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ની જાહેર પરીક્ષાનું પરિણામ જાહેર થયાના બીજા દિવસથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે.

🔬 વિજ્ઞાન પ્રવાહ

સરકારના નિયમો અને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

💼 વાણિજ્ય પ્રવાહ

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શિકા મુજબ પ્રવેશ આપવામાં આવે છે.


ધોરણ – ૧૦ અને ૧૨

ધોરણ-૯માંથી ૧૦ તથા ધોરણ-૧૧માંથી ૧૨માં આવતા વિદ્યાર્થીઓની સંખ્યાને કારણે સામાન્ય રીતે નવી પ્રવેશ પ્રક્રિયા ઉપલબ્ધ રહેતી નથી.

જો બેઠકો ઉપલબ્ધ હોય તો અગાઉના વર્ષના પરિણામ તથા પ્રવેશ પરીક્ષાના દેખાવ આધારે પ્રવેશ આપવામાં આવે છે.

📞 પ્રવેશ અંગે માહિતી

પ્રવેશ પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અથવા અન્ય કોઈપણ માહિતી માટે અમારી ઓફિસનો સંપર્ક કરો. અમારી ટીમ આપને સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે હંમેશા તૈયાર છે.

💙 પ્રવેશ માટે અમને લખો

પ્રવેશ સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે અમારો સંપર્ક કરો અથવા શાળાની ઓફિસની મુલાકાત લો.

🚫 પ્રવેશ આપવાનો સંપૂર્ણ અધિકાર મેનેજમેન્ટ પાસે અનામત છે.

Write to Us for Any Admission Query