GAJERA VIDYABHAVAN, KATARGAM

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Katargam), Surat

Principal's Message

Mrs. Sunita Hirpara

આચાર્યા,
પૂર્વ પ્રાથમિક વિભાગ,  ગુજરાતી માધ્યમ

૨૧ મી સદી માં માનવજીવન ને મહેકતું બનાવવા “શિક્ષણ” ની પ્રકિયા મજબૂત,મહત્વકાંક્ષી, મનોહર અને મનભાવક બનાવી જરૂરી છે. આજના બાળકને આવતીકાલ માટે તૈયાર કરવા લાંબી દ્રષ્ટિ કેળવવી પડશે અને તે રીતે શિક્ષણ નો માહોલ ઘડવો પડશે. આ વિચાર ધારા ને સાર્થક બનાવવા માટે ગજેરા વિદ્યાભવન માં બાલભવન વિભાગમાં ભાર વગરના ભણતર પર ભાર મુકવામાં આવે છે. બાળકમાં કુદરતી અપાર શક્તિ હોય છે. તેનામાં ભાગ્ય, બુધ્ધિ અને સમજણ શક્તિ કુદરતી દેન છે. આપણે તો માત્ર તેને બહાર લાવવાની છે. અત્રેની શાળાનું વાતાવરણ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તથા કૌશલ્યોનો વિકાસમાં મદદરૂપ થાય છે. દરેક બાળક ને પોતાનું અલગ અને વિશિષ્ટ અસ્તિત્વ હોય છે. શિક્ષણની ભૂમિકા એવી હોવી જોઈએ કે બાળકની અસ્તિત્વ ની ઓળખ કરી, ઓળખાવીને તે મુજબ તેને શૈક્ષણિક વાતાવરણ પૂરું પડી તેનામાં રહેલી શક્તિઓને ઊંચાઈની ઉડાન ભરવા માટે કાબેલ બનાવીએ. ગજેરા વિદ્યાભવન બાલભવનના અનુભવી તથા પ્રેમાળ શિક્ષક્ગણદ્વ્રારા બાળકોને શાળામાં વ્યક્તિગત રીતે ઇન્દ્રિય શિક્ષણ, વિવિધ જીવન વ્યવહારો, ભાષા, ગણિત, ઈતર પ્રવૃત્તિઓ વગેરે વિષયોનું “ગમ્મત સાથે જ્ઞાન” પૂરું પડે છે. તમામ ગજેરા પરિવારના સંયુક્ત પ્રયાસદ્વ્રારા આ ઉમદા કાર્યને પૂર્ણ કર્યોનો આનંદ અનુભવીએ છીએ.

બાળવિકાસના તબક્કા:-:-

  • માનસશાસ્ત્રી ડૉ. અનેસ્ટ જ્હોન્સે બાળવિકાસના વિવિધ તબક્કાઓ નીચે પ્રમાણે સૂચવ્યા છે.
    • જન્મથી પાંચ વર્ષ સુધી શિશુ અવસ્થા (શૈશવકાળ)
    • છ વર્ષથી બાર વર્ષ સુધી કિશોરાવસ્થા
    • તેર વર્ષથી અઢાર વર્ષ સુધી તરુણાવસ્થા
  • માનવીના સમગ્ર જીવન અને વ્યક્તિત્વનું પ્રતિબિંબ તેના શૈશવકાળમાં પડે છે. બાળકોની શિક્ષણ સંબંધી જરૂરિયાતો સંતોષવા માટે મા-બાપ અને શિક્ષકે પ્રામાણિક પ્રયાસો કરવા જોઈએ.
  • જ્ઞાનેન્દ્રિયોની કેળવણી અને તાલીમ – સ્વયંભુ પ્રવૃત્તિ – હાથપગનો ઉપયોગ કરે તેવી પ્રવૃત્તિઓ રમત ગમત દ્વારા વ્યક્તિત્વનો વિકાસ થાય તેવી સગવડ – ક્રિયાગીતો, અભિનય ગીતો, નૃત્ય, ચિત્રકલા.
  • કલ્પના જાગૃત કરે અને વિકસાવે તેવી પરી કથાઓ.
  • ઘરમાં હરવા-ફરવાની છૂટ, બાળક પોતે હેરફેર કરી શકે તેવી વસ્તુઓ, માતા-પિતા અને શિક્ષકોનો પ્રેમ લાગણીભર્યું વાતાવરણ.

Bhavisha Solanki

આચાર્ય,
પ્રાથમિક વિભાગ, ગુજરાતી માધ્યમ

ગજેરા વિદ્યાભવન એ શિક્ષણની દિશામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. પાઠય-પુસ્તક આધારિત શિક્ષણ નહિ પરંતુ સર્વાગી શિક્ષણના આધારને અનુરૂપ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ૨૧મી સદીના નાગરિકો બનાવવાની દિશામાં શાળા અગ્રેસર છે, આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનાં કૌશલ્યો, આત્મવિશ્વાસ અને સંવેદનશીલતાને કેળવવાના પ્રયત્નો શાળા કરી રહી છે. ‘We not only teach, but touch lives’ એ અમારો પ્રયત્ન બની રહ્યો છે. બાળકોની ઉત્કૃષ્ટતાના માર્ગ ઉપર શાળા મક્કમ પગલાં ભરી રહી છે.

‘બીજાથી કંઈક અલગ કરવું’ તેવા વિચારો ધરાવે છે. જેવી રીતે સુંદર ટકાઉ ઈમારત બનાવવા જ મજબુત સિમેન્ટ રેતી, કપચી અને સ્ટીલની જરૂરિયાત હોય છે તેવી રીતે શાળાના વિકાસ માટે સારું કેળવણી મંડળ, આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ હશે તો તેઓ દ્વારા મજબુત અને ટકાઉ શિક્ષણ રૂપી ઈમારત ચણતા વાર નહિ લાગે. શિક્ષણ એક એવી અવિરત પ્રક્રિયા છે, જો શાળા બાળકોને જ્ઞાતિ, જાતી, ધર્મ, ભેદભાવથી દુર રાખી તો સુંદર શૈક્ષણિક મંદિર બનાવતા વાર લાગશે નહિ તો આવો સૌ ભેગામળી ને શૈક્ષણિક ક્રાંતિનું સર્જન કરીએ.

દરેક માનવી દરેક વસ્તુ પોતાની માને છે પણ પોતાનું કંઈજ નથી, જન્મ તો બીજા એ આપ્યો છે, નામ બીજાએ પડ્યું છે, શિક્ષણ પણ બીજાએ આપ્યું છે, કાર્ય બીજાએ શીખવ્યું અને સ્મશાન પણ બીજા લઇ ગયા માટે આ પૃથ્વી ઉપર આપણું પોતાનું કઈ જ નથી . આજ આ ટેક્નોલોજીકલ યુગમાં જયારે જ્ઞાન સતત વધતુ જાય છે તેવા સંજોગોમાં શાળા દ્વારા “CAL – Computer Aided Learning “ પર ભાર મુકીને શિક્ષણને એક નવો ઓપ આપવાનાં પ્રયત્નો શાળા કરી રહી છે તેમાં આપ સૌનો સાથ સહકાર મળી રહે તેવી આશા…

Dr. Bhavesh Ghelani

આચાર્ય,
માધ્યામિક & ઉચ્ચતર માધ્યામિક વિભાગ, ગુજરાતી માધ્યમ

Work hard, Dream big, Never give up.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એટલે ૧૪ થી ૧૭ વર્ષની વયના બાળકોનું શિક્ષણ, તરુણાવસ્થાનું શિક્ષણ, વ્યક્તિના ઘડતરમાં મુખ્ય સમયગાળાનું શિક્ષણ. પુખ્ત વ્યક્તિની લાક્ષણિકતાઓ તરુણાવસ્થા દરમ્યાન ઘડાય છે. અને તે મુજબ તે આજીવન વર્તે છે. માટે આ સમયગાળા દરમ્યાન દરેક બાળકે સખત, સતત અને આયોજનબધ્ધ મહેનત કરવી જોઈએ. ઉચ્ચલક્ષ્ય નિર્ધાર કરી હાર્યા કે થાક્યા વગર લક્ષ્યસિધ્ધી માટે પ્રયત્ન કરવા જોઈએ. વાલીશ્રી અને શિક્ષકશ્રીએ તેના પ્રયત્નને દિશાસૂચક માર્ગદર્શન આપવાનું રહે.

જ્યારે શિક્ષણ માત્ર નોકરી મેળવવાના લક્ષ્ય સાથેનું બની રહે ત્યારે સમાજમાં નોકરો જ પેદા થાય. માલિકનું નિર્માણ કરવું હશે તો કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી સર્વાંગી શિક્ષણ આપવું જ પડશે.

કોઈપણ કાર્યમાં ત્યારે જ ઉત્તમ પરિણામ મળે જ્યારે કરતાં પૂર્ણ આનંદ સાથે કાર્ય કરે. માટે વિદ્યાર્થીઓ ભણવાની પ્રવુત્તિને આનંદદાયક બનાવે તો તે ઉત્તમ પરિણામ મેળવી શકે.

સૌને જીવનપથ પર સફળતા મળે તેવા સુભાષિશ.