ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ નવસારીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. દિલ્લીપ પટેલ અને પ્રો. ધ્રુવાંગ દેસાઈ ઉપસ્થિત રહીને વિજ્ઞાન પ્રવાહના Aઅને B બંને ગ્રુપ માટે ખૂબ જ ઊંડાણપૂર્વકની કારકિર્દી અંગેની માહિતી રજૂ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા અને છેલ્લે ખૂબ જ અસરકારક પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી અંગે પૂરતું માર્ગદર્શન મળી રહે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીને એક નવી દિશા મળી રહી હતી.