સ્વયં શિક્ષક દિન.
શ્રીમતી એસ. એચ. ગજેરા વિદ્યાભવન, કતારગામ, સુરત ખાતે સ્વયં શિક્ષક દિનની ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા સંભાળી અને વર્ગખંડમાં શિક્ષણકાર્યનો અનુભવ મેળવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકોની જેમ શિસ્તબદ્ધ રીતે વર્ગખંડમાં જઈ વિવિધ વિષયોના પાઠ ભણાવ્યા. […]
